નમસ્કાર મિત્રો,
હાલમા ગુજરાત અને ભારત માં કોરોના નાં કેસ ખુબજ વધી રહ્યા છે. તેમાં હોસ્પિટલો માં બેડ અને ઓક્સિજન ની ખુબ જ અછત છે.
આપણે જાણીએ છીએ કે ગુજરાત માં કોરોના બેકાબૂ થઈ ગયો છે દિવસે અને દિવસે કેસ વધી રહ્યા છે. અને તેમાંથી મોટા ભાગ ના દર્દીઓ સાજા થઈ ને ઘરે પણ જઈ રહ્યા છે. અને ઘણા દર્દીઓ ઘરે હોમ આઇસોલેટ થઈ ને પણ સાજા થઈ રહ્યાં છે. આપણે ઘરે રહી ને પણ જો યોગ્ય દવા અને ઘરે દેસી ઉપચાર કરીએ તો પણ કોરોના ને હરાવી શકીએ છીએ.
આપણે ઘરે રહી ને કોરોના નાં દર્દી ને શું શું ખાવા નું આપી શકીએ તે આપણે ડોક્ટર જોડે થી સલાહ લેવી જોઈએ છતાં આપને જણાવી દઇએ કે કોરોના નાં દર્દી ને આપણે શું શું ખાવાનું આપી શકીએ જેથી તેનું સ્વાસ્થય સારું રહે અને તે કોરોના ને આગળ વધતો રોકી શકે.
શું ખાવું જોઈએ | શું નાં ખાવું જોઈએ |
તડબૂચ | આઈસ્ક્રીમ |
નારંગી | ઠંડા પીણા |
દહીં | તળેલી વસ્તુઓ |
માખણ | |
છાછ | |
લિકવિડ ચીજો | |
દૂધ | |
સોયા | |
પનીર | |
નોન વેજ | |
નોન વેજ શુપ | |
ઈંડા | |
સલાડ( salads) | |
ડ્રાયફ્રુટ | |
દાળ | |
ઘરે બનાવેલી વસ્તુઓ તળેલી નાં હોય તેવી (રોટલી, દાળ ભાત, શાક) |
નોંધ : આ ઉપરાંત દર્દી ને કોઈ બીમારી હોય તો ડોક્ટર ની સલાહ મુજબ આહાર લેવો જોઈએ.
કોરોના દર્દી ને આ ઉપરાંત ડોક્ટર ની સલાહ મુજબ યોગ્ય દવા લેવી જોઈએ. અને જો દર્દી ને હળદર વાળું પાણી પીવડાવતા હોય તો દિવસ માં ફક્ત એક જ વાર પીવડાવવું જોઈએ.