Dwarka Darshan Submarin : ભગવાન શ્રી કૃષ્ણ ની સોનાની નગરી દરિયામાં ડૂબી ગયેલી છે. આ દ્વારકા નગરીના દર્શન હવે સબમરીન થી થઈ શકશે. થોડા મહિના બાદ આ પ્રોજેક્ટ સરકાર શરૂ કરશે. તેના માટે હવે લાંબો સમય રાહ નઈ જોવી પડે. ભક્તો માટે આ ખુશીના સમાચાર છે.
ભગવાન કૃષ્ણ ની નગરી હજારો વર્ષો પહેલા સમુદ્રમાં ડૂબી ગઈ હતી. આ સોનાની નગરીના દર્શન હવે ભાવી ભક્તો કરી શકશે. તેના માટે સરકાર હવે દરિયાના પેટાળમાં સબમરીન ચલાવશે. આ સબમરીન 300 ફૂટ નીચે જઈને દ્વારકા નગરીના દર્શન કરી શકશે.
ધાર્મિક ટુરિઝમ વધારવા માટે સરકાર અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. કાશી વિશ્વનાથ કોરિડમ અને મહાકાલ લોક કોરિડોર બાદ હવે સરકાર દ્વારકા કોરીડમ પર કામ કરવાનુ વિચારી રહી છે. જે અંતર્ગત દરિયામાં ડૂબી ગયેલી મૂળ દ્વારકા નગરીના દર્શન માટે સબમરીન પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે. જે અંતર્ગત સરકાર ની કંપની ડોક યાર્ડ શિપયાર્ડ ની સાથે સરકારે MOU કર્યું છે.
સમુદ્રમાં 300 ફૂટ નીચે જશે સબમરીન :
આ સંબમરીન નો પ્રોજેક્ટ આગામી જન્માષ્ટમી કે દિવાળી પર થઈ જશે. આ અંગે સરકારે હજુ સુધી સતાવાર જાહેરાત કરી નથી. વાયબ્રન્ટ સમિતિના તેની જાહેરાત કરવામાં આવી શકે છે. સબમરીન 300 ફૂટ નીચે જઈ શકશે તેમજ 2 થી 2:30 કલાક ની સફર રહેશે.
કેટલા લોકો બેસી શકશે અને કેટલું હસે ભાડું :
દ્વારકા દર્શન માટે જનારી સબમરીન નું વજન અંદાજિત 35 ટન જેટલું હશે, આ સબમરીન પૂરી રીતે એર કન્ડીશન હસે. તેમાં એકસાથે 30 લોકો બેસી શકશે તેમાં 24 મુસાફરો જ દર્શન કરી શકશે. કારણ કે અન્ય 6 લોકો કૃ મેમ્બર હસે. આ ઉપરાંત સબમરીન માં હાલની સ્થિતિમાં ભાડું નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ એવું જાણવા મળી રહ્યું છે કે ભાડું મોઘું હોય શકે છે.