અંજુ ની લવસ્ટોરી માં આવ્યો નવો વળાંક, પાકિસ્તાની પ્રેમીએ કહ્યું હું લગ્ન તો…

ગયા દિવસોમાં સિમા હૈદર અને સચિન ની લવ સ્ટોરી પુરા દેશમાં ચર્ચામાં રહી. પરંતુ અત્યારે સોસીયલ મીડિયા માં વધુ એક લવ સ્ટોરી એ જોર પકડ્યું છે. વાતમાં કંઈક એવું છેકે ભારતીય અંજુ પોતાના [પ્રેમી ને મળવા પાકિસ્તાન પહોંચી ગઈ છે. પોતાના પ્રેમીને મળવા પાકિસ્તાન પહોંચેલી રાજસ્થાનના અલવર જિલ્લાના ભીવાડીની રહેવાસી અંજુની આ લવસ્ટોરીમાં હવે નવો વળાંક આવ્યો છે. અંજુના મિત્ર અને તેનો પ્રેમી નસરુલ્લાએ હવે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું છે અને કહ્યું છેકે તેનો અંજુ સાથે લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી. અંજુના વિઝાની મુદત 20મી ઓગસ્ટે પુરી થશે. આ પછી અંજુ ભારત પાછી ફરશે. હાલમાં તે અમારા પરિવારની મહિલાઓ સાથે છે.

અંજુ ના કહેવતા પ્રેમી નસરુલ્લાએ એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં જણાવતા કહ્યું છેકે અંજુ પાકિસ્તાનની મુલાકાત માટે આવી છે. અમારી પાસે લગ્ન નું કોઈ આયોજન નથી. અંજુનો વિઝા પૂરો થયા બાદ તેઓ 20 ઓગસ્ટે ભારત પાછી ફરશે અગાઉ ભારતીય મીડિયા સાથે વાત કરતાં અંજુએ કહ્યું હતું કે તેઓ પાકિસ્તાન આવી છે અને પેશાવરથી આગળ અપર ડીર જિલ્લામાં છે. તેઓ એકદમ સુરક્ષિત છે અને થોડા દિવસોમાં ભારત પરત ફરશે. અંજુએ કહ્યું કે તેઓ માત્ર લગ્નમાં હાજરી આપવા પાકિસ્તાન આવી છે. અહીં તેને લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી. અંજુએ કહ્યું કે તેનો કેસ સીમા હૈદરથી ખુબ જ અલગ છે. મીડિયા તેને હાઈલાઈટ કરી રહ્યું છે. તેના પરિવારને ખલેલ પહોંચાડશો નહીં.

પ્રેમી નસરુલ્લાહ પોતાના નિવેદન ફરી ગયો

આ પહેલા નસરુલ્લાએ મીડિયામાં કહ્યું હતું કે તેઓ થોડા દિવસોમાં અંજુ સાથે સગાઈ કરશે, ત્યારબાદ તે ભારત જતી રહેશે અને અંજુ ફરી પાકિસ્તાન આવશે ત્યારે બંને લગ્ન કરી લેશે. અને અંજુ પોતાનો ધર્મ બદલશે કે નહીં, તે સંપૂર્ણપણે તેનો અંગત નિર્ણય છે. અને તે તેના નિર્ણયનું સન્માન કરે છે. આ બીબીસી ઉર્દૂના અહેવાલમાં તેમનું એવું નિવેદન આપવામાં આવ્યું હતું, પરંતુ હવે નસરુલ્લાહ તેમના નિવેદનથી ફરી રહ્યો હોવાનું જણાય છે અને તેણે કહ્યું છે કે અંજુ સાથે લગ્ન કરવાનો તેમનો કોઈ ઈરાદો નથી. તે ટૂંક સમયમાં ભારત પરત ફરશે.

Leave a Comment