અસિત મોદી પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું મને શોમાં થી…

ટીવીનો ફેમસ કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અત્યારે ખુબ ચર્ચામાં છે તેના વચ્ચે અભિનેત્રી જેનિફર મિસ્ત્રીના શોમાંથી બહાર થયા બાદ હવે શોમાં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવતી અભિનેત્રી પ્રિયા આહુજાએ પણ નિર્માતા અસિત મોદી પર ગંભીર આરોપો લગાવી દીધા છે તેને લઈને ફરીથી શોની ચર્ચાઓ વધી ગઈ છે.

હાલના એક લેટેસ્ટ ઈન્ટરવ્યુ દરમિયાન પ્રિયાએ મીડિયા થી વાત કરતા જણાવ્યું કે ડાયરેક્ટર માલવ રાજદા સાથે તેના લગ્ન પછી અસિત મોદી અને ટીમનું વર્તન તેના પ્રત્યે ખુબ બદલાઈ ગયું હતું. આ સાથે પ્રિયાએ એ પણ જણાવ્યું કે શોમાં તેની સાથે અયોગ્ય વ્યવહાર કરવામાં આવ્યો હતો અને તેની સાથે તેને માનસિક ઉત્પીડન પણ સહન કરવું પડ્યું હતું.

અસિત મોદીએ એ મને
22 તારીખ ના રોજ ઈ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રિયા આહુજાએ વાત કરતા જણાવ્યું કે ડાયરેક્ટર માલવ સાથેના લગ્ન પછી શોમાં તેનો ટ્રેક પૂરો થઈ ગયો હતો. તેણીએ કહ્યું, શો છોડ્યા પછી મને મારા ટ્રેક વિશે કંઈ જ ખબર ન હતી. મારા ટ્રેક વિશે પૂછવા માટે મેં અસિત મોદીને ઘણી વખત મેસેજ કર્યો પરંતુ તેમના તરફથી મને કોઈ જવાબ મળ્યો નહીં.તેના શિવાય મેં સોહેલ રામાણીને મેસેજ કર્યો પરંતુ એમના તરફથી પણ કોઈ જવાબ મળ્યો નહીં.

માખીની જેમ બહાર ફેંકવામાં આવી
તેના સિવાય ઈન્ટરવ્યુમાં પ્રિયા આહુજા એ શોના મેકર અસિત મોદી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે જ્યારે માલવ સાથે મારા સંબંધો હતા ત્યારે મને માખીની જેમ શોમાંથી બહાર ફેંકી દેવામાં આવી હતી. મેકર્સે મને 9 મહિના સુધી શોમાં બોલાવી ન હતી. એક્ટરે વધુમાં જણાવતા કહ્યું કે મને ખુબ ખોટું લાગ્યું કારણ કે 14 વર્ષ સુધી શોમાં કામ કરવા છતાં મને મારા ટ્રેક અંગે નિર્માતાઓ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી.

Leave a Comment