જ્યોતિ મૌર્ય જેવો મામલો, પતિએ રાત દિવસ કરીને ભણાવી, પત્ની કહે તારી લાયકાત નથી, પત્ની નું ડોક્ટર પર આવ્યું દિલ…

છેલ્લા કેટલાક સમયથી જ્યોતિ મૌર્ય નો કિસ્સો ચર્ચામાં છે હવે તેના જેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે અહીં આ કિસ્સામાં પતિએ લગ્ન બાદ પત્નીને BSC નર્સિંગ કરાવ્યું. હવે પત્ની કહે છે કે તમે અને હું એકજેવા નથી. એટલે હવે હું MBBS સાથે જ રહીશ.

વિગતવાર જાણીએ તો ઉત્તર પ્રદેશના એટામાં જ્યોતિ મૌર્ય જેવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં પતિ મીડિયા સામે આવ્યો છે અને જણાવતા કહ્યું કે લગ્ન પછી તેણે પત્ની ભણાવી અને નર્સિંગનો કોર્સ કરાવ્યો. એણે તૈયારીની વાત કરી તો ને એને કોચિંગમાં એડમિશન અપાવ્યું હવે તેને નોકરી લાગી ગઈ છે એટલે તે કહે છેકે તમારી સાથે નહીં રહી શકું. હું MBBS વાળા સાથે જ રહીશ. તમારી કોઈ હેસિયત નથી.

હકીકત માં આ મામલો મિરહાચી પોલીસ સ્ટેશન વિસ્તારના અખ્તૌલી ગામનો છે. ગામના રહેવાસી પ્રદીપ કુમારે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે વર્ષ 2022માં અર્ચનાના લગ્ન થાણા પિલુઆના કપ્રેટા સાથે થયા હતા. લગ્ન પહેલા જ અર્ચનાએ આગળ અભ્યાસ કરવાની વાત કરી હતી. ત્યારથી તેણે તેના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને પૈસા ખર્ચીને તેણે તેની પત્નીને BSC નર્સિંગનો કોર્સ કરાવ્યો. પરંતુ હવે સારી નોકરી બાદ તે તેની સાથે રહેવા માંગતી નથી. આ સાથે જયોતિ મૌર્યનું ઉદાહરણ આપવામાં આવ્યું હતું.

બીજી તરફ અર્ચનાનું કહેવું છેકે પતિએ તેના પર ખોટા આરોપો લગાવી રહ્યા છે. મારા લગ્ન બાદ પતિ અને પરિવાર દ્વારા વધારે દહેજની માંગણી કરીને હેરાનગતિ કરવાની શરૂ કર્યું. આ પછી મેં મારા મામાને આ વાત જણાવી તો માતા પોલીસને લઈને ગામમાં પહોંચી અને મને સાસરિયાના ઘરેથી લઈ આવી હતી. પતિએ તેને ખૂબ માર માર્યો હતો. તેની મેડિકલ તપાસ પણ કરવામાં આવી હતી.

Leave a Comment