પાકિસ્તાની ડાકુઓનો સીમા સચિન ને લઈને હિન્દુ મંદિર પર હુમલો

આજકાલ ખુબજ ચર્ચામાં રહેતા સીમા હૈદર ને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. સીમા હૈદર સચિન નાં પ્રેમમાં પાગલ થઈને ભારત માં આવી ગઈ છે કે કોઈ જાસૂસ છે તેને લઈને સૌ કોઈ વિચારમાં છે. સીમા હૈદર જ્યારથી ભારતમાં આવી છે ત્યારથી અનેક વિવાદ પણ ચાલુ થઈ ગયા છે. થોડા દિવસો પહેલા પાકિસ્તાની ડાકુઓ દ્વારા ધમકી પણ આપવામાં આવી હતી.

અમુક દિવસો પહેલા પાકિસ્તાની ડાકુઓ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે જો સીમા હૈદર ને પાકિસ્તાન પાછી મોકલવામાં નહિ આવે તો તેઓ હિન્દુ મંદિરો અને પૂજા સ્થળો પર હુમલો કરશે. રિપોર્ટ મુજબ ઉતર સિંધના જિલ્લા કસ્મુર કંધ કૌટના આગોહી ગામે શનિવારે રાત્રે હુમલો થયો હતો. આ ઘટના બાદ હિન્દુઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

એક પત્રકાર નાં જણાવ્યા મુજબ તેમના દરબાર ડેરા બાબા સાવલશાહના પૂજારી સાથે વાતચીત થઈ તો તેમણે જણાવ્યું કે અમે મંદિરમાં સૂતા હતા ત્યારે જોરદાર ફાયરિંગ થયું તો અમે અમારો જીવ બચાવવા માટે આજુબાજુના ઘરોમાં સંતાઈ ગયા. આ ઘટના ને લઈને પોલીસે તપાસ કરતા ઘટના સ્થળે થી બે રોકેટ નાં ગોળા મળી આવ્યા હતા. એક ગોળો પોખરમાં ઘૂસી ગયો હતી જ્યારે બીજો નીચે પડ્યો હતો.

આ ઘટના ને લઈને તમામ હિન્દુ મંદિરો પર સુરક્ષા વધારાઈ દેવામાં આવી છે. હિંદુઓ કમ્યુનિટી નાં જણાવ્યા મુજબ સીમા હૈદર પાકિસ્તાન ગઈ એમાં અમારો શું વાંક!, હિંદુઓ હાલમાં ભયના માહોલમાં જીવી રહ્યા છે. આતો પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ કહેવાય.

Leave a Comment