આપણે જાણીએ છીએ છે કે હાલમાં બધું કામ ઓનલાઇન થઈ ગયું છે આપણે કોઈપણ કામ હોય તો આપણે ઓનલાઇન કરી શકીએ છીએ. આપણે જાણીએ છીએ છે કે પાનકાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાની છેલ્લી તારીખ 30 જૂન હતી. જો 30 જૂન સુધી પાન કાર્ડ ને આધાર સાથે લિંક કરાવ્યું નહિ હોય તો તમારું પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે.
આપણે જાણીએ છીએ છે કે કોઈપણ વ્યક્તિ અને કંપની પરમેનાન્ટ એકાઉન્ટ નંબર ની વેલીડીટી ને ઓનલાઇન વેરીફાઈ કરી શકે છે. એવું કરવા માટે તમારે જરૂરી જાણકારી આપવી જરૂરી છે. જેમ કે પાનકાર્ડ હોલ્ડર નું નામ, જન્મ તારીખ, પિતાનું નામ, જેવી.
જો કોઈ વ્યક્તિએ પાનકાર્ડ ને આધાર સાથે લિંક નથી કર્યું તો તેનું પાન કાર્ડ બંધ થઈ શકે છે. આવા લોકોને પાન આધાર સાથે લિંક થયેલું છે કે નહિ તે ચેક કરવા આ પ્રોસેસ ને ફોલો કરો.
આ રીતે ચેક કરો તમારું પાન નિષ્ક્રિય તો નથી થયું ને!
- તમારા પાન કાર્ડ ની સ્તીથી જાણવા માટે ઈ – ફિલિંગ પોર્ટલ પર લોગ ઈન કરવાનું રહેશે.
- ત્યાર બાદ તમારે ઈ – ફિલિંગ હોમપેજ પર જઈને વેરીફાઈ યોર પાન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ તમારે તમારો પાન કાર્ડ નંબર, આખું નામ, જન્મતારીખ, અને મોબાઈલ નંબર નાખવાનો રહેશે. ત્યાર બાદ આગળ નાં પેજ પર આગળ વધો.
- વેરિફિકેશન નંબર પર તમારે છ અંક નો OTP આવશે તે validate પર ક્લિક કરવાનું રહેશે.
- ખાસ નોંધ લો કે OTP ફક્ત 15 મિનિટ જ માન્ય રહેશે અને તમારે ફીલ અપ કરવા માટે ફક્ત ત્રણ જ ચાન્સ મળશે.
આ રીતે ચેક કરો તમારું પાન આધાર સાથે લિંક છે કે નહિ!
- તમારું પાન આધાર સાથે લિંક છે કે નહિ તે ચેક કરવા માટે આવકવેરા વિભાગની official website ઇ – ફિલિંગ પર જાઓ.
- ત્યાર બાદ કવિક લિંક નાં હેઠળ લિંક આધાર સ્ટેટસ પર ક્લિક કરો.
- તેમાં એક નંબર આવશે તેને નોંધવો જોઈએ અને લિંક આધાર સ્ટેટસ પર ક્લિક કરો.
- જે વ્યક્તિ નું પાન કાર્ડ આધાર સાથે લિંક નથી તો પોપ અપ મેનું આવશે.
- જો તમારું પાન આધાર સાથે લિંક હસે તો યોર પાન લિંકડ લખેલું આવશે.