દુનિયાનો સૌથી અમીર ભિખારી રહે છે ભારતમાં તેની મિલકત જોઈને આશ્ચર્યમાં મુકાઈ જશો.

આપણે થોડા બહાર જઈએ તો આપણે ને અનેક ભિખારીઓ જોવા મળતા હોય છે અને આપણે તેમને રૂપિયો બે રૂપિયા ભીખમાં આપતા પણ હોઈએ છીએ. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આપણે જેમને ભિખારી સમજી ને પૈસા આપતા હોઈએ છીએ તે હકીકતમાં ઘણા પૈસાદાર હોય છે.

આવો જ એક ભિખારી ભારતમાં રહે છે જેની પાસે કરોડો રૂપિયાની પ્રોપર્ટી છે. દુનિયાનો સૌથી અમીર ભિખારી ભરત જૈન ની કહાની સાંભળશો તો તમને વિશ્વાસ નહિ આવે પરંતુ આ વાસ્તવિકતા છે.

દુનિયાનો સૌથી અમીર ભિખારી ભરત જૈન પાસે મુંબઈમાં બે બેડ વાળો 1.5 કરોડ નાં ફ્લેટ નો માલિક છે. તેની પાસે મુંબઈ અને પુણેમાં કરોડો રૂપિયાની સંપત્તિ આવેલી છે. આ ઉપરાંત તેની બે દુકાનો પણ છે. આ દુકાનો નું દર મહિને 30 હજાર રૂપિયા ભાડું વસૂલે છે.

ભરત જૈન પાસે 7.5 કરોડ ની સંપતિ છે જેમાં થાણેમાં તેની માલિકીની બે દુકાનો છે જેમની પાસેથી 30 હજાર રૂપિયા ભાડું વસૂલે છે. આ દુકાનો ની કિંમત પણ કરોડોમાં આંકી શકાય. ભરત જૈન છત્રપતિ શિવાજી અને આઝાદ મેદાનમાં ભીખ માંગે છે. આ ભિખારી દર મહિને ભીખ માંગીને 75 હજાર કમાઈ લે છે. આ વર્ષની તેની કુલ આવક 9 લાખ ને પાર હતી. આ ભિખારીની દરરોજ ની વાત કરીએ તો દિવસે 2500 રૂપિયા આરામ થી કમાઈ લે છે. ભરત જૈન નાં બાળકો સારી સ્કૂલમાં ભણે છે.

 

Leave a Comment