કાજલ હિન્દુસ્તાની ફરી એકવાર તેના ભાષણ થી સૌને ચોકાવ્યા, કહ્યું કે – ભાઈચારો..

કાજલ હિન્દુસ્તાની તેના ભાષણ ને લઈને અનેક વખત ચર્ચામાં આવતી હોય છે. ત્યારે ફરી વખત કાજોલ ચર્ચામાં આવી છે. કાજલ હિન્દુસ્તાની એ તેના ભાઈચારા પર આકરા પ્રહારો કર્યા છે. તેને પ્રહાર કરતા કહ્યું કે ભાઈચારો ફકત હિન્દુ સમાજ માટે જ કેમ!, જેહાદીઓ તરફથી ભાઈચારો કેમ નથી રાખવામા આવતો.

આણંદ શહેરમાં ટાઉનહોલ ખાતે આજે હિન્દુ જાગૃતિ અભિયાન સમિતિ હેઠળ જાહેર ધર્મ સભા યોજાય હતી. જેમાં કાજોલ હિન્દુસ્તાની દ્વારા ભાઈચારા પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ભાઈચારો માત્ર એક તરફી શા માટે! તેમ કહીને જેહાદીઓ પર આકરા પ્રહારો કર્યા હતા.

આણંદ શહેરમાં ટાઉનહોલ ખાતે કાજલ હિન્દુસ્તાની એ લવ જેહાદીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. ભાઈચારો હિન્દુ સમાજ જ કેમ રાખે જેહાદીઓ તરફથી ભાઈચારો કેમ રાખવામાં આવતો નથી. તેવા સવાલો કર્યા હતા.

કાજલ એ વધુમાં કહ્યું હતું કે હિન્દુ યુવતી સાથે મુસ્લિમ યુવક લગ્ન કરે તો વિરોધ પછી મુસ્લિમ યુવતી હિન્દુ યુવાન સાથે લગ્ન કરે તો વિરોધ કેમ કરવામાં આવતો નથી. કાજલ હિન્દુસ્તાની એ લવ જેહાદ અને આવી ઘટનાઓ અટકાવવા માટે સરકાર કડક કાયદો બનાવે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું.

Leave a Comment