ખેડામાં હિન્દુ ધર્મની સેનાની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચાલુ સભામાં પ્રવચન આપતા વડતાલ ધામના સ્વામી અને અખિલ ભારતીય સંત સમિતિના નૌતમ સ્વામી અચાનક ઢળી પડ્યા હતા. ત્યાર બાદ અચાનક તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાર બાદ તેમની સારવાર મળતાં તેમની તબિયત સ્થિર હોવાના સમાચાર આવ્યા છે.
માહિતી તેવી મળી રહી છે કે નૌતમ સ્વામી મહારાજ ને ચક્કર આવતા અચાનક ઢળી પડ્યા હતા. તેઓ ખેડાના કઠલાલ ખાતે આયોજિત સભામાં વડતાલ ધામના સંત અને અખિલ ભારતીય સંત સમિતિના નૌતમ સ્વામી મહારાજ ને પ્રવચન આપતા સમયે ચક્કર આવી જતા અચાનક ઢળી પડ્યા હતા. હિન્દુ ધર્મની સેનાનાં દીક્ષાંત સમારોહ માં આ બનવા બનાયા નાં સમાચાર સામે આવ્યા છે. આ સમગ્ર બનાવ અંગે નો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
નૌતમ સ્વામી મહારાજ ચાલુ સભા દરમિયાન પ્રવચન આપતા હતા અને તે દરમિયાન તેઓ જય શ્રી રામ નાં નારા લગાવી રહ્યા હતા. તે દરમિયાન તેમની તબિયત અચાનક બગડી હતી અને તેઓ સ્ટેજ પર નીચે પડી ગયા હતાં. તે દરમિયાન તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.